Tuesday, 30 June 2015

બદ્રીનાથ અને હેમકુંડ સાહિબમાં ચાર ધામની યાત્રા સ્થગિત કરવામાં આવી

- ઉત્તરાખંડમાં ભારે વરસાદ, કેટલા વિસ્તારોમાં ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી

- પશ્ચિમ બંગાળના બર્દાવનમાં પૂરના કારણે કેટલાય ગામડાઓ બેટમાં ફેરવાયા


ઉત્તરાખંડમાં હવામાનમાં આવેલા પલટાના કરાણે રાજ્યના જોશીમઠ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ જેવા મહત્વપૂર્ણ તીર્થસ્થાનો પર ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે કેટલાય વિસ્તારોમાં ધુમ્મસ છવાઇ છે.
જોશીમઠમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવાનું કામ પુરૂ થઇ ગયું છે. હેમકુંડ સાહિબના રસ્તામાં રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલું છે. ખરાબ હવામાનના કારણે બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ માટે યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર ઉપ હિમાલયન રાજ્યોમાં મંગળવારના રોજ ભારે વરસાદ પડી શકે છે. તેમાં પશ્ચિંમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાયલય શામેલ છે. વરસાદના કારણે પશ્ચિમ બંગાળના બર્દાવનમાં પૂરના કારણે કેટલાય ગામડાઓ બેટમાં ફેરવાયા છે. આના કારણે કેટલાય લોકો બેઘર થયા છે.
જૂન મહિનાની શરૂઆતમાં કેરલ પહોંચેલા મોનસુન હલે સમગ્ર ભારતમાં છવાઇ ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે અરૂણાચાલ પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, કર્નાટકના દરિયા કાંઠાના વિસ્તારો અને કેરલના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

No comments:

Post a Comment