Tuesday, 30 June 2015

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેજરીવાલને મુલાકાત માટે સમય ન આપ્યો

- વડાપ્રધાન દેશની અન્ય જવાબદારીના કારણે વ્યસ્ત છે

- એકવાર ફરી દિલ્હીમાં કેન્દ્ર અને આપનું ઘર્ષણ ખુલીને સામે આવ્યું


આમ આદમી પાર્ટીએ મંગળવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરવાનો ઈન્કાર કરી દીધો છે. આપ પ્રમાણે કહેવુ છે કે, તે બહુ વધારે વ્યસ્ત છે, એટલા માટે મળી નથી શકતા.
કેજરીવાલનાં સલાહકાર નાગેન્દ્ર શર્માએ પત્રકારોને જણાવ્યું કે, ગત સપ્તાહે કેજરીવાલના પીએમ સાથે મળવા માટે કરાયેલા આગ્રહને કારણે અમને સુચના આપવામાં આવી કે વડાપ્રધાન દેશની અન્ય જવાબદારીના કારણે વ્યસ્ત છે. અમને કહેવામાં આવ્યું કે, દિલ્હીનાં સીએમ વડાપ્રધાનનાં બદલે નાણામંત્રી અરૂણ જેટલી કાં તો પછી ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી શકે છે. કેજરીવાલે 10 દિવસ પહેલા 'ફાઈવ-પોઈન્ટ એજન્ડા'ને લઈને પીએમ મોદી સાથે મુલાકાત કરવાનો સમય માંગ્યો હતો. આપનું કહેવું છે કે, કેજરીવાલ ઉપરાજ્યપાલ નજીબ જંગની સાથે ચાલી રહેલા વિવાદ વિશે પીએમ મોદી સાથે ચર્ચા કરવા માંગતા હતા.
મળતી જાણકારી પ્રમાણે, કેજરીવાલ જે મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માંગતા હતા તેમાં દિલ્હી કરવેરામાં મોટો ભાગ, શાળા, હોસ્પિટલ અને બસ ડિપો માટે જમીન પૂરી પાડવા જેવા વિષય હતા. ત્યારે પીએમઓ તરફથી મુલાકાત માટે ઈન્કારથી ફરી એકવાર દિલ્હીમાં કેન્દ્ર અને આમ આદમી પાર્ટીનું ઘર્ષણ ખુલીને સામે આવ્યું છે.

No comments:

Post a Comment