Monday, 1 February 2016

ઓસ્ટ્રેલિયાને સળંગ ચાર મેચમાં હરાવીને હિસાબ ચુકતે કરી દીધો ઃ કોહલી

- 'સિડની વન ડે અગાઉ કરેલો જીતનો નિર્ધાર અમે પાર પાડયો'

- જીત પહેલા આઉટ થતાં નિરાશ થયો




















ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી-૨૦માં ભારતને વિજયી હેટ્રિક સર્જતાં યજમાન ટીમનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. આ સાથે ભારતે ત્રણ ટી-૨૦ અને તે અગાઉની આખરી વન ડે એમ સળંગ ચાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચીસમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ.
મેન ઓફ ધ સિરિઝનો એવોર્ડ સ્વિકારતાં કોહલીએ કહ્યું કે, સિડનીમાં પાંચમી વન ડે શરુ થઈ ત્યારે જ અમારી ટીમે નક્કી કર્યું હતુ કે, હવે અમે સળંગ ચાર વન ડે જીતીને બતાવીશું. મને ગર્વ છે કે, અમારી ટીમે સળંગ ચાર જીતની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં હિસાબ બરોબરી કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયા પ્રથમ ચાર વન ડેની સાથે શ્રેણી જીત્યું હતુ. જે પછી ભારતે સળંગ ચાર મેચ જીતીને હિસાબ ચુકતે કરી દીધો છે. કોહલીએ કહ્યું કે, અમે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સતત સારો દેખાવ કરતાં હોવા છતાં શરુઆતની મેચીસમાં જીતી શક્યા નહતા.
જો કે ટીમનું પર્ફોમન્સ અને કમબેક જોરદાર રહ્યું. આજની મેચમાં મારે ભારતને જીત અપાવીને અણનમ રહેતા પેવેલિયનમાં પાછા ફરવું હતુ, પણ હું આઉટ થઈ જતાં થોડો નિરાશ થયો હતો.
જો કે યુવી અને રૈના બંનેએ ટીમમાં શાનદાર કમબેક કર્યું છે. તેમણે યાદગાર દેખાવ કરતાં તેમની પ્રતિભાની સાબિતી આપી છે.
કોહલીનો અનોખો રેકોર્ડ
કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને આખરી ટ્વેન્ટી-૨૦માં પણ અડધી સદી ફટકારતાં અનોખો કિર્તિમાન સર્જ્યો હતો. આ સાથે કોહલી દ્વિપક્ષિય ક્રિકેટ શ્રેણીમાં બે થી વધુ વખત ૫૦થી વધુનો સ્કોર કરનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ માર્ટિન ગપ્ટિલના નામે હતો, જેણે ૨૦૧૨માં આ સિધ્ધિ મેળવી હતી.

ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની વન ડે શ્રેણી ૨-૦થી જીતી

- ત્રીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ ડકવર્થ લુઈસની પધ્ધતિથી જીત્યું

- ૪૩ ઓવરમાં ૨૬૩ના પડકારને ન્યુઝીલેન્ડે ૪૨.૪ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને પાર પાડયો


















ન્યુઝીલેન્ડે વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી ત્રીજી અને આખરી વન ડેમાં પાકિસ્તાનને ડક વર્થ લુઈસના નિયમ અનુસાર બે બોલ બાકી હતા, ત્યારે ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. આ સાથે ન્યુઝીલેન્ડ ૩ વન ડેની શ્રેણી ૨-૦થી જીતી ગયું હતુ.
 જીતવા માટેના ૪૩ ઓવરમાં ૨૬૩ રનના પડકારને ન્યુઝીલેન્ડે ૪૨.૪ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ઝીલ્યો હતો. ન્યુઝીલેન્ડ પ્રથમ વન ડે ૭૦ રનથી જીત્યું હતુ અને બીજી વન ડે એક પણ બોલની રમત વિના પડતી મુકાઈ હતી.
પાકિસ્તાન
-રનબોલ
અઝહર અલી કો.ગપ્ટિલ બો.હેનરી૧૪
શેહઝાદ કો.ગપ્ટિલ બો.બાઉલ્ટ૧૨૧૬
હાફિઝ કો.મિલ્ને બો.સાન્ટનેર૭૬૬૦
આઝમ કો.ગપ્ટિલ બો.હેનરી૮૩૭૭૧૦
મલિક કો.રોન્ચી બો.બાઉલ્ટ૩૨૨૭
સરફરાઝ કો.રોન્ચી બો.મિલ્ને૪૧૫૦
રિઝવાન રનઆઉટ૧૬૧૮
રિયાઝ કો.ગપ્ટિલ બો.એન્ડરસન૧૧૧૫
આમીર કો.રોન્ચી બો.મિલ્ને
રાહત અલી કો.રોન્ચી બો.મિલ્ને
ઇરફાન અણનમ
વધારાના (નોબોલ ૧, વાઇડ ૧૪)૧૫
કુલ ૪૭.૩ ઓવરમાં ઓલઆઉટ૨૯૦      
વિકેટનો ક્રમ ઃ  ૧-૧૬ (શેહઝાદ, ૪.૫), ૨-૨૦ (અઝહર અલી, ૫.૧), ૩-૧૫૪ (હાફિઝ, ૨૨.૬), ૪-૨૧૫ (મલિક, ૩૧.૧), ૫-૨૨૭ (આઝમ, ૩૩.૪), ૬-૨૫૬ (રિઝવાન, ૩૮.૪), ૭-૨૭૯ (રિયાઝ, ૪૪.૨), ૮-૨૮૪ (આમીર, ૪૫.૩), ૯-૨૮૪ (રાહત અલી, ૪૫.૫), ૧૦-૨૯૦ (સરફરાઝ, ૪૭.૩)
બોલિંગ ઃ બાઉલ્ટ ૯-૦-૬૦-૨, હેનરી ૧૦-૦-૪૪-૨, એન્ડરસન ૪-૦-૨૬-૧, સાન્ટનેર ૫-૦-૫૬-૧, મિલ્ને ૯.૩-૦-૪૯-૩, ઇલિયટ ૧૦-૦-૫૫-૦.
ન્યુઝીલેન્ડ
-રનબોલ
ગપ્ટિલ કો.હાફિઝ બો.અઝહર અલી૮૨૮૧
મેક્કુલમ કો.ઇરફાન બો.આમેર
વિલિયમસન સ્ટ.સરફરાઝ બો.અઝહર અલી૮૪૮૬
નિચોલ્સ એલબી બો.આમેર૧૩
ઇલિયટ કો.આઝમ બો.મલિક૧૦૧૭
એન્ડરસન કો.આઝમ બો.ઇરફાન૩૫૨૯
રોન્ચી બો.રિયાઝ૨૦૨૧
સાન્ટનેર અણનમ૧૦
મિલ્ને અણનમ
વધારાના (લેગબાય ૫, વાઇડ ૧૪)૧૯
કુલ ૪૨.૪ ઓવરમાં સાત વિકેટે૨૬૫
વિકેટનો ક્રમ ઃ   ૧-૬ (મેક્કુલમ, ૧.૧), ૨-૧૬૫ (ગપ્ટિલ, ૨૬.૨), ૩-૧૮૦ (વિલિયમસન, ૨૮.૩), ૪-૧૮૮ (નિચોલ્સ, ૩૧.૧), ૫-૨૧૦ (ઇલિયટ, ૩૫.૩), ૬-૨૫૩ (રોન્ચી, ૪૦.૬), ૭-૨૫૬ (એન્ડરસન, ૪૧.૩)
બોલિંગ ઃ ઇરફાન ૮-૦-૬૦-૧, આમેર ૯-૦-૩૯-૨, રાહત અલી ૭-૦-૫૪-૦, રિયાઝ ૮.૪-૦-૫૧-૧, મલિક ૩-૦-૧૯-૧, અઝહર અલી ૭-૦-૩૭-૨.ઔ

Saturday, 30 January 2016

અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ ભારત સતત બીજી જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં

મહિપાલ લોમરોરની પાંચ, અવેશ ખાનની ચાર વિકેટ

- ૨૫૯ના પડકાર સામે ન્યુઝીલેન્ડ૧૩૮માં ખખડયું

















રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ભારતની અંડર-૧૯ ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામેની વન ડેમાં ૧૨૦ રનથી ભવ્ય વિજય મેળવતા અંડર-૧૯ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સરફરાઝ ખાનના ૭૪ અને રિષભ પંતના ૫૭ની મદદથી ભારતે ૮ વિકેટે ૨૫૮ રન નોંધાવ્યા હતા.
 જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર ૩૧.૩ ઓવરમાં ૧૩૮ રનમાં જ ખખડી ગઈ હતી.
 મહિપાલ લોમરોરે ૪૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાને ૩૨ રનમાં ચાર બેટ્સમેનને આઉટ કર્યા હતા, તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતે અગાઉ આયર્લેન્ડ સામેની મેચમાં ૭૯ રનથી વિજય મેળવ્યો હતો. ભારતને ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ કે સાઉથ આફ્રિકા  સામે રમવાનું આવી શકે છે.
મીરપુરના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી અંડર-૧૯ વર્લ્ડ કપની ગુ્રપ ડીની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ.  સરફરાઝ ખાને ૮૦ બોલમાં ૯ ચોગ્ગા સાથએ ૭૪ રન ફટકાર્યા હતા. જ્યારે રિષભ પંતે ૫૭ તેમજ અરમાન જાફરે ૪૬ અને મહિપાલ લોમરોરે ૪૨ બોલમાં ૪૫ રન ઝૂડયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ઝાક ગિબ્સનને ત્રણ વિકેટ ઝડપી હતી.
અવેશ ખાને સપાટો બોલાવતા ન્યુઝીલેન્ડનો સ્કોર પાંચ રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો.
 આ પછી અવેશે કેપ્ટન ફિન્નીને આઉટ કરતાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૦.૨ ઓવરમાં ૧૬ રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી. ક્રિસ્ટીન લિઓપાર્ડે ૪૦ રન સાથે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. મહિપાલ લોમરોરે ૪૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન પણ ક્વાર્ટર ફાઇનલમાં
ભારતની સાથે ગુ્રપ ડીમાંથી નેપાળે તેમજ ગુ્રપ બીમાંથી શ્રીલંકા અને પાકિસ્તાને અંડર-૧૯ વર્લ્ડ કપન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.આજે રમાયેલી મેચમાં નેપાળે ૮ વિકેટથી આયર્લેન્ડને હરાવ્યું હતુ. નેપાળે અગાઉ ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.
જ્યારે ગુ્રપ બીમાં શ્રીલંકાની ટીમે ૩૩ રનથી અફઘાનિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. જેમાં શ્રીલંકાના કેપ્ટન ચરિત અસાલંકાએ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. પાકિસ્તાને ઝિશાન મલિકના અણનમ ૮૯ તેમજ હસન ખાને ઝડપેલી ત્રણ વિકેટની મદદથી કેનેડા સામે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો.

આજે આખરી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કરવાની તક

 ટીમ ઈન્ડિયા વિજય સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત આણવા તૈયાર

- ઇજાગ્રસ્ત ફિન્ચના સ્થાને ખ્વાજાનો સમાવેશ ઃ વોટસન કેપ્ટન


બપોરે ૨.૦૦ વાગ્યાથી મેચ શરુ થશે




















ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીની નિષ્ફળતાની યાદો ભૂંસી નાંખતાં ધોનીની કેપ્ટન્સીમાં ભારતની ટ્વેન્ટી-૨૦ ટીમે સળંગ બે વિજય મેળવતા હવે શ્રેણીમા યજમાનોનો વ્હાઈટવોશ કરવાનો તખ્તો ઘડી કાઢ્યો છે. સીડનીના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવતીકાલે ટ્વેન્ટી-૨૦ શ્રેણીનો ત્રીજો અને આખરી મુકાબલો ખેલાવાનો છે, ત્યારે ભારતીય ટીમ યજમાન ઓસ્ટ્રેલિયાને વ્હાઈટવોશ કરવાની સાથે ગૌરવભેર પ્રવાસ પુરો કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. જ્યારે ઓસ્ટ્રેલિયા તેના ઈન ફોર્મ કેપ્ટન આરોન ફિન્ચ વિના જ આવતીકાલે રમશે, કારણ કે તે ઇજાગ્રસ્ત બની ગયો છે.
ફિન્ચના સાથે ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી-૨૦ની ટીમનું સુકાન ઓલરાઉન્ડર વોટસન સંભાળશે. જ્યારે ફિન્ચના સ્થાને ટીમમાં ખ્વાજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે સીડનીમાં રમાનારી ટ્વેન્ટી-૨૦ બપોરે ૨.૦૦ વાગ્યાથી શરુ થશે. ભારતીય ટીમ માટે સીડનીનું મેદાન યાદગાર સાબિત થયું છે. ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રવાસમાં સળંગ ચાર મેચ હાર્યા બાદ ભારતે સીડની વન ડે જીતીને ઓસ્ટ્રેલિયા સામેની વ્હાઈટવોશની નાલેશીભરી હાર અટકાવી હતી અને આ જીત ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ હતી, જે પછી ભારતે બંને ટ્વેન્ટી-૨૦ પણ જીતી લીધી હતી.
ભારતીય કેપ્ટન ધોની આવતીકાલની શ્રેણીની ત્રીજી અને આખરી ટ્વેન્ટી-૨૦માં બેટીંગ ઓર્ડરમાં યુવરાજ અને હાર્દિક પંડયા જેવા ખેલાડીઓને  અગ્રતા ક્રમ આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઈન ફોર્મ સ્ટાર ખેલાડીઓને આવતીકાલે આરામ આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ગુજરાતના જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા જેવા યુવા ખેલાડીઓએ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત સરન, ગુરકિરાત તેમજ રિષી ધવન જેવા ખેલાડીઓએ પણ નોંધપાત્ર દેખાવ કર્યો છે. હવે જ્યારે ભારતીય પસંદગીકારો ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની ટીમની પસંદગી કરવા માટે મિટિંગ યોજશે, ત્યારે તેમાં બુમરાહ અને પંડયાના નામની ચર્ચા થશે જ.
છેલ્લા કેટલાક સમયથી મળી રહેલી નિષ્ફતાને કારણે ટીકાકારોનું નિશાન બનેલા ધોનીએ પણ ઓસ્ટ્રેલિયા સામેના સળંગ ત્રણ વિજય બાદ રાહત અનુભવી છે. હવે તે આખરી ટ્વેન્ટી-૨૦ મુકાબલો જીતીને ગૌરવભેર ઓસ્ટ્રેલિયાને ગુડબાય કહેવાની તૈયારી કરી રહ્યો છે. ઈન ફોર્મ કોહલીની સાથે ભારતીય ક્રિકેટ ટીમને રોહિત શર્મા તેમજ ધવનની શાનદાર ઈનિંગની આશા છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલી છે. ઓસ્ટ્રેલિયાને ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેપ્ટન આરોન ફિન્ચે સળંગ બે મેચમાં આક્રમક રમત દેખાડી છે. જો કે તે ઇજાગ્રસ્ત બનીને ખસી ગયો છે. તેના સ્થાને વોટસન કેપ્ટન્સી કરી રહ્યો છે.
ભારત (સંભવિત) ઃ ધવન, રોહિત શર્મા, કોહલી, ધોની (કેપ્ટન, વિ.કી.), રૈના, યુવરાજ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, બુમરાહ, નેહરા.
ઓસ્ટ્રેલિયા (સંભવિત) ઃ શોન માર્શ, વોટસન (કેપ્ટન), લીન, મેક્સવેલ, ખ્વાજા, બેનક્રોફ્ટ (વિ.કી.), ફોકનર, ટાય, લાયન, બોલેન્ટ, ટૈટ.

બધું કર્મફળના સિદ્ધાંતથી જ બને છે

પૂર્વ જન્મોના કર્મફળ અનુસાર એ જ નિશ્ચિત કરાયેલું છે કે અમુક આત્માએ કયા દેશમાં, કયા કુટુંબમાં, કયા સ્તરનું , કેટલું જીવન જીવવાનું છે. એક જ દિવસે, એક જ સમયે જન્મ લેનારા બે બાળકોમાં એક કોઈ અમીરને ત્યાં જન્મે છે અને બીજો ગંદી ઝૂંપડીમાં. એક જન્મથી જ બુદ્ધિશાળી હોય છે તો બીજો મંદબુદ્ધિનો એક તંદુરસ્ત હોય છે અને બીજો હંમેશા રોગી હોય છે. એક દીર્ઘાયુ હોય છે અને બીજો અલ્પાયુ આ બધું કર્મફળના સિદ્ધાંતથી જ બને છે આપણે જીવનમાં જે પણ સારી-ખરાબ પરિસ્થિતિઓ આવે છે તે આપણા કર્મોનું ફળ છે. આ જન્મમાં જે જેવું કર્મ કરે છે. તેના પ્રમાણે આત્માના નવાજન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે. પૂર્વ જન્મોના કર્મ પ્રમાણે જ આપણે આ જન્મમાં જુદી જુદી પરિસ્થિતિગત એનો સામનો કરવો પડે છે. કોઈ મનુષ્ય સારાં, સમૃદ્ધ, સંસ્કારી પરિવારમાં જન્મ લે છે તો કોઈ નિર્ધન કે દુરાચારી પરિવારમાં જન્મ લે છે. કોઈએ અનેક જાતની સુખ-સુવિધાઓ આસાનીથી મળી રહે છે તો કાયમ કોઈ અભાવ તથા દુઃખમાં જ રહે છે. પરમેશ્વર ક્યારેય કોઈના કર્મને નિષ્ફળ કરતા નથી અને કોઈ નિરપરાધીને દંડ દેતા નથી.
હજુ પણ જો આપણે ખરાબ કર્મો કરતા રહીશું તો આગળના જન્મામાં આપણે જીવજંતુઓની ન જાણે કેટકેટલી યોનિઓમાં રહીને કષ્ટ ભોગવવું પડશે અને પછી જો માનવ શરીર મળ્યું તો શક્ય છે કે તે વખતે વધારે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે અને જો સારા કર્મો કરીશું તો આગળના જીવનમાં વધારે સુખદ પરિસ્થિતિઓ પ્રાપ્ત થશે.
સુખ- દુઃખ એ કર્મના ફળ છે. કર્મના આધારે આ સૃષ્ટિ છે. કર્મયોગનું તાત્પર્ય છે કે બીજાઓને સુખ આપવું અને બદલામાં કંઈ પણ ન ચાહવું.

Friday, 29 January 2016

ISISના આતંકવાદીઓને તેમના ઘરમાં જઇને મારીશું: ઓબામા

કાર્યકાળ પુરો થવાના થોડા મહિના પહેલા ફરી એકવાર ISનો ખાત્મો બાલાવાની કસમ ખાધી

- સિક્યોરિટી ફોર્સિસને ઇસ્લામિક સ્ટેટની સામેના હુમલાને તેજ કરવા કહ્યું


અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા જેમનો કાર્યકાળ પુરૂ થવામાં બસ હવે થોડા મહિનાનો જ સમય વધ્યાં ત્યાં તેમને ફરી એકવાર આતંકવાદી સંગઠનનો ખાત્મો બોલાવાની કસમ ખાધી છે.
રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીને ફરી એકવાર ચેતવણી આપતા કહ્યું છે કે,'આતંકવાદી ગમે તે દેશમાં હોય અમેરિકા તેને ત્યાં ઘૂસીને મારશે.' ઓબામાએ ગુરૂવારના રોજ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલની એક મીટિંગમાં હાજરી આપી હતી. જેમાં તેઓએ સિક્યોરિટી ફોર્સિસને ઇસ્લામિક સ્ટેટની સામેના હુમલાને તેજ કરવા કહ્યું છે.
ઓબામાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દિધુ કે આતંકવાદીઓ અને ઇસ્લામિક સ્ટેટના કાવતરાખોરો કોઇ પણ દેશમાં હોય, અમેરિકા આકરા પગલા લેતા અચકાશે નહી. વ્હાઇટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ આ વાત પર ભાર મુક્યો છે કે અમેરિકા જ્યાં પણ જરૂર હશે ત્યાં કોઇ પણ દેશમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ અને કાવતરાખોરોનો સામનો કરવાનું ચાલું રાખશે.
તેમને આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠન અને અન્ય આતંકી આતંકવાદી તે વિસ્તારમાં આશ્રય મેળવવાના પ્રયત્ન કરી રહ્યાં જ્યાં કાયદો અને વ્યવસ્થા નબળી હોય. તેમણે સિક્યોરિટી ટીમને લીબિયા અને અન્ય દેશોમાં આતંકવાદને રોકવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મજબુત કરવાના આદેશ આપ્યા છે, જ્યાં ઇસ્લામિક સ્ટેટ પોતાની પકડ મજબુત કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે.
વ્હાઇટ હાઉસ અનુસાર ઇસ્લામિક સ્ટેટને કમજોર કરવા અને નાથવા માટે ગ્લોબલ પાર્ટનર્સની વચ્ચે મદદ અને એકતાની જરૂર છે.

સાંગડો- દક્ષિણ કોરિયાનું શહેર છે, જગતનું પ્રથમ સ્માર્ટ સિટી

 2015માં સાંગડો ખુલ્લું મૂકાયું છે

- દરિયાઈ ખાડી બૂરીને તૈયાર કરેલી જમીન પર શહે ઊભું છે

ભારતમાં સ્માર્ટ શહેર બનાવવા માટે સરકાર કટિબદ્ધ બની છે. જોકે જગતનું પ્રથમ સ્માર્ટ શહેર દક્ષિણ કોરિયાનું સાંગડો શહેર ગણાય છે. 2015માં જ સાંગડો કમ્પ્લિટ થઈને ખુલ્લું મુકાયું છે. દરિયાકાંઠે માટીનું પૂરાણ કરીને તૈયાર કરેલી જમીન પર શહેર ઉભું કરવામા આવ્યું છે.
600 હેક્ટરમાં ફેલાયેલું આ શહેર સાંગડો ઈન્ટરનેશનલ બિઝનેસ ડિસ્ટ્રીક તરીકે ઓળખાય છે. આ શહેર માટે દક્ષિણ કોરિયાએ 10 વર્ષમાં વિકાસ કરવા 40 અબજ ડોલર ફાળવ્યા હતાં. એ દુનિયાનો સૌથી મોટો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હતો.
શહેરમાં ટ્રાન્સપોર્ટ સુવિધા હેઠળ દરેક રસ્તા પર બાઈસિકલ પાથ અને ચાલવા માટેની અલગ જગ્યા રાખવામાં આવી છે. એ સિવાય મેટ્રો, બસો સહિતની સગવડ છે. શહેરમાં ઊર્જાનો વપરાશ, પ્રદૂષણ, વીજળી વગેરેના નિયંત્રણ માટે આધુનિક સિસ્ટમ દાખલ કરવામાં આવી છે.
પર્યાવરણ સંરક્ષણ માટે આ શહેરમાં ઠેર ઠેર ઈલેક્ટ્રીક કારના ચાર્જિંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. જેથી લોકો ઈલેક્ટ્રિક કાર લઈને નીકળે તો તેમને ચાર્જિંગનો પ્રશ્ન નહીં રહે. રસોડામાંથી જ સીધો ઘરનો કચરો બહાર નીકળી શકે એવી ઓટોમેટિક સગવડ છે. જેથી કચરો વિણવાની કોઈ ગાડી આવતી નથી. કચરો સીધો જ અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં જઈને ત્યાંથી નિકાલ પામે છે.
નોર્થ એશિયા ટ્રેડ ટાવર નામનું 65 માળ ઊંચુ બિલ્ડિંગ અહીં છે, જે દક્ષિણ કોરિયાનું સૌથી ઊંચુ બાંધકામ છે. ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કને ધ્યાનમાં રાખીને સાંગડોમાં પણ સેન્ટ્રલ પાર્ક એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. શહેરની તમામ રચનામાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. પરિણામે શહેર ઓછામાં ઓછુ કાર્બન પ્રદૂષણ કરશે.