27 જુલાઈએ આ માલગાડી મુદ્રા પોર્ટ માટે જોધપુરથી રવાના થઈ હતી
- એક એક્સપોર્ટરની ફરિયાદ બાદ માલગાડીને શોધવાનું કામ શરુ થયું
જોધપુરનાં એક્સપોર્ટરે 14 જુલાઈએ કંટેનર નોંધાયું હતું. જેને 27 જુલાઈની ટ્રેનથી રવાના કરવામાં આવ્યું. 30 જુલાઈ સુધી કંટેનર ન પહોંચ્યુ તો તેઓએ કોનકોર ડેપોમાં ફરિયાદ કરી. ત્યા જાણ થઈ કે દસ દિવસથી ટ્રેનનું સ્ટેટસ અમદાવાદ જ છે, પરંતુ જાણ થઈ છે કે ટ્રેન ત્યા પણ નથી.
ત્યારે એક્રપોર્ટરની ફરિયાદ બાદ માલગાડીને શોધવાનું કામ શરુ થયું. અધિકારીઓનું કહેવું છે કે, વરસાદનાં કારણે ટ્રેન લેટ થઈ છે. સામાન્ય રીતે 12 કલાક બાદ માલગાડીનો ડ્રાઈવર બદલાય છે પરંતુ જે ચાલક આ ટ્રેનને લઈને ગયો હતો, તે પણ પાછો આવી ગયો છે. તેનું કહેવું છે કે, તેણે માલગાડીને બીજા જોનનાં ડ્રાઈવરનાં હવાલે કરી દીધી હતી.
No comments:
Post a Comment