- માર્યા જતા લોકોના પરિવારોને રાજ્યની સહાય ઉપરાંત રૃા. પાંચ લાખ આપવા વિચારણા
- ૨૦૧૩માં શસ્ત્રવિરામના ભંગની ૧૪૮ જ્યારે ૨૦૧૨માં માત્ર ૨૧ ઘટનાઓ બની હતી
પાકિસ્તાને ચાલુ વર્ષે ૨૬ જુલાઇ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે ૧૯૨ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો હોવાનું સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હરિભાઇ ચૌધરીએ એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં એમ પણ કહ્યું હતું કે સીમા પારના ગોળીબારમાં માર્યા જતા લોકોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાય ઉપરાંત પાંચ લાખ રૃપિયાની સહાય આપવાની કેન્દ્ર સરકારની વિચારણા છે. આ વર્ષે ૨૬ જુલાઇ સુધીમાં પાકિસ્તાને ૧૯૨ વખત કરેલા શસ્ત્રવિરામ ભંગમાં ત્રણ નાગરિકોનું તથા બીએસએફના એક જવાનનું મોત થયું હતું જ્યારે અન્ય ૨૨ જણાં ઇજાગ્રસ્ત થયા હતા. તદુપરાંત, ૭,૧૧૦ લોકો હંગામી ધોરણે અસરગ્રસ્ત થયા હતા જ્યારે ૫૦ ઘરોને નુકસાન પહોંચ્યું હતું. હરિભાઇએ ઉમેર્યું હતું કે ગત વર્ષે પાકિસ્તાને ૪૩૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો, જેમાં ૧૨ નાગરિકો અને બીએસએફના બે જવાન મળીને કુલ ૧૪ જણાં માર્યા ગયા હતા તથા ૨.૦૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. ૨૦૧૩માં શસ્ત્રવિરામના ભંગની ૧૪૮ જ્યારે ૨૦૧૨માં માત્ર ૨૧ ઘટનાઓ બની હતી.
No comments:
Post a Comment