Monday, 17 August 2015

પાટીદાર સમાજની રેલી પહેલા પોલીસે અડાજણ-અઠવાને જોડતો બ્રિજ બંધ કરી દિધો

- સુરતની જીવાદોરી સમાન સરદાર બ્રિજ બંધ કરી દેતા લોકોની મુશ્કેલી વધી

- પીક અવર્સમાં દરમિયાન સરદાર બ્રિજ પર લાખો વાહનો પસાર થાય છે


સુરતમાં પાટીદાર સમાજની રેલીના બંદોબસ્ત માટે સુરત પોલીસે અડાજણ-અઠવાઇન્સને જોડતો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાવી દીધો હતો. પીક અવર્સ દરમિયાન લાખો વાહનો અવર-જવર થાય છે તેવો બ્રિજ બંધ કરાવી દેતા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. સરદાર બ્રિજનો ટ્રાફિક વિવેકાનંદ બ્રિજ પર ડાઇવર્ટ કરાતા કોઇ દિવસ જામ ન થતો વિવેકાનંદ બ્રિજ પણ જામ થઈ ગયો હતો.
સુરતમાં આજે પાટીદાર સમાજની રેલી પહેલા પોલીસે કરેલી ગોઠવણના કારણે સુરતના અનેક લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. સુરત પોલીસે રેલી પહેલા અડાજણથી અઠવાલાઇન્સ તરફ જતો તાપી નદી પરનો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાવી દીધો હતો. સુરતનો આ સરદાર બ્રિજ પર સવારે 9 વાગ્યેથી12 વાગ્યા સુધીના પીક અવર્સમાં લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ સમય દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતો બ્રિજના છેડે પોલીસ વાહનોની આડસ કરીને બ્રિજ બંધ કરાવી દીધો હતો. સુરતના અડાજણ-રાંદેર વિસ્તારમાં રહેતા મોટાભાગના નોકરિયાતો આ બ્રિજનો ઉપયોગ કરી નોકરી-ધંધા માટે જાય છે. પરંતુ આજે તેઓ નોકરી માટે જવા નિકળ્યા ત્યારે ખબર પડી હતી કે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. પોલીસ કર્માચારીઓ બ્રિજના છેડે ઉભા રહીને વાહન ચાલકોને વિવેકાનંદ(લો લેવલ બ્રિજ) તરફ વાળતાં હતા. સવારમાં જ લોકો અચાનક જ વાળવામાં આવતા તમામ વાહન ચાલકો લો લેવલ બ્રિજ તરફ જતા ત્યાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.
સુરતનો વિવેકાનંદ બ્રિજ પર શનિવાર સિવાય ક્યારેય પણ ટ્રાફિક જામ ન થતો હતો. પરંતુ આજે પોલીસે સરદાર બ્રિજ બંધ કરાવી દેકા આ બ્રિજ આખો જામ થઇ ગયો હતો. સરદાર બ્રિજ પર પિક અવર્સમાં લાખો વાહનો પસાર થતા હોવા છતા પોલીસે આ બ્રિજ બંધ કરાવી દેતા લોકોની હાલત કફોડી થઇ ગઇ હતી. લોકો પોલીસ અને તંત્રની આવી કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

No comments:

Post a Comment