Friday, 14 August 2015

આઝાદીની ઉજવણીમાં સ્વતંત્રતા સંગ્રામનો નાયક જ હતો ગેરહાજર

- આખો દેશ જ્યારે આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો તે દરમ્યાન ક્યા હતા ગાંધીજી?

- જાણો, કેમ પાકિસ્તાન એક દિવસ વહેલા આઝાદ થયું?






15 ઓગસ્ટ, 1947ના એ દિવસે જ્યારે આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આઝાદીની લડતમાં સિંહફાળો આપનાર મહાત્મા ગાંધી ઉજવણીથી દૂર પશ્ચિમ બંગાળના એક ગામમાં ઉપવાસ કરી રહ્યા હતા, તેઓ હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના લોહિયાળ કોમી રમખાણોના વિરોધમાં ઉપવાસ કરી રહ્યા હતા.
કેમ પાકિસ્તાન એક દિવસ વહેલા આઝાદ થયું?
બ્રિટિશ શાસનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને આઝાદી દિનની કરાંચી અને નવી દિલ્હી બન્ને સ્થળે થનાર ઉજવણીમાં ભાગ લેવો પડે એમ હતો, અને બન્ને સ્થળે એક જ દિવસે હાજર રહી શકાય એમ નહીં હોવાથી કરાંચીમાં આગલા દિવસે એટલે કે 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો, બસ ત્યારથી જ પાકિસ્તાન દર વર્ષે આ તારીકે આઝાદી દિન મનાવે છે.

1 comment: