- દ્વારકાધીશજી મંદિર રોશનીથી ઝળહળ્યું
- સરકારી કચેરીઓ, હોટલો શણગારાઇઃ ભાવિકોના અવિરત આગમનથી યાત્રાધામમાં તેજીનો કરંટ
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવા દ્વારકાએ શણગાર સજ્યા છે. સરકારી કચેરીઓ, હોટલો પણ ઝગમગી ઉઠી છે. દ્વારકાધીશજી મંદિર પણ રોશનીના દિવ્ય શણગાર કરાયા છે તો બીજી બાજુ ભાવિકોના અવિરત આગમનથી યાત્રાધામમાં તેજીનો કરંટ પ્રસરી ગયો છે.
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આગામી તા.૫ના જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને જગતમંદિર અને દ્વારકા નગરીને રોશનીથી શણગારવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ અને ભારતના ચાર ધામ પૈકીનું એકધામ અને સપ્તપુરીમાંનું એક એવી દ્વારકા નગરીમાં જ્યાં ભગવાન દ્વારકાધીશએ ૧૦૦ વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો.
જન્માષ્ટમીનું અનેરૃ મહત્વ હોવાથી અહીંયા જન્માષ્ટમીના દિવસે હજારોભાવિકો દર્શન કરવા માટે આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થા તેમજ જરૃરીયાતો પુરી પાડવા તંત્રએ કમર કસી છે. દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તે ઉપરાંત દ્વારકાની સરકારી કચેરીઓ તથા હોટેલોને પણ શણગારવામાં આવી છે.
આગામી જન્માષ્ટમીના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવવાના હોય પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ભાવિકોને શાંતિથી દર્શન થાય તે માટે મંદિરમાં જવા આવવાના માર્ગ અલગ અલગ બનાવવામાં આવશે. તા.૩ તથા તા.૪ના શ્રીજી દર્શનનો કાર્યક્રમમાં મંગળ આરતી ૬.૩૦ વાગ્યે, મંગલા દર્શન ૬.૩૦ થી ૮ વાગ્યે, શ્રીજીના સ્નાન બંધ ૮ થી ૯, દર્શન ખુલ્લા ૯ થી ૧૦, શ્રીજીને સ્નાન ભોગ ૧૦ વાગ્યે, શ્રીજીના શ્રૃંગાર ભોગ ૧૦.૩૦ વાગ્યે, શ્રીજીના શ્રૃંગાર આરતી ૧૦.૩૦ થી ૧૦.૪૫, શ્રીજીના ગ્વાલભોગ ૧૧.૧૫, શ્રીજીના રાજભોગ ૧૨ કલાકે, મંદિર અનૌસર (બંધ) ૧૨.૩૦, ઉત્થાપન દર્શન ૫ વાગ્યે સાંજના, ઉત્થાપન ભોગ ૫.૪૫ થી ૭.૩૦, સંધ્યા ભોગ ૭.૧૫ થી ૭.૩૦, સંધ્યા આરતી ૭.૪૫, શયનભોગ ૮.૧૫ થી ૮.૩૦, શયન આરતી ૮.૩૦ થી ૮.૪૫, મંદિર અનૌસર ૯.૩૦ વાગ્યે થશે.
No comments:
Post a Comment