Tuesday, 30 June 2015

ધીરે-ધીરે ગાયબ થઈ રહી છે ચીનની દિવાલ

- દેખરેખ ન થવાના કારણે દિવાલ પર વિનાશનો ખતરો મંડરાઈ રહ્યો છે

- લોકો મકાન બનાવવા યુનેસ્કોની આ ધરોહરની ઈંટો ચોરીને લઈ જાય છે


યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં ગણાતી ચીનની દિવાલ જોવા માટે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ તે પ્રમાણે તેની દેખરેખ નથી થઈ રહી. આ જ કારણ છે કે તેના પર હવે તેના વિનાશનો ખતરો મંડરાઈ રહ્યો છે.
ચીનની દિવાલનો એક મોટો ભાગ કુદરતી આપત્તિ, પ્રતિકુળ કુદરતી પરિસ્થિતિઓ અને માનવીય બેદરકારીનાં કારણે ગાયબ થઈ ચુક્યો છે. ગ્રેટ વોલ ઓફ ચાઈના સોસાયટીનાં સર્વે પ્રમાણે, આ દિવાલનો આઠ ટકા ભાગ મિંગ સામ્રાજ્યનાં સમયમાં 14થી 17 સદી વચ્ચે બન્યો. વિદેશી આક્રમણકારોથી દેશને બચાવવા માટે તેનું નિર્માણ કરાયુ હતું. આ ભાગ વર્તમાન સમયમાં સૌથી વધારે નજરે આવે છે અને સારી રીતે સુરક્ષિત પણ છે.
સર્વે પ્રમાણે આ મહાન દિવાલ હવે એક અતૂટ સંરચના નથી રહી. હવે તેનું ઘણા ભાગમાં વિભાજન થઈ ગયું છે. 1962 કિલોમીટર દિવાલ તૂટી ચુકી છે. ઝડપથી છોડ પણ ઉગવા લાગ્યા છે, ઘણા ટાવર એટલા જર્જરીત થઈ ગયા છે કે વરસાદ અને વાવાઝોડમાં જ પડી જશે. રિપોર્ટ પ્રમાણે, પર્યટને પણ આ ઐતિહાસિક સંરચનાને ઘણુ નુકશાન પહોંચાડ્યું છે.
આટલું જ નહી, આસપાસનાં ગામના કેટલાક લોકો પોતાનું મકાન બનાવવા માટે યુનેસ્કોની આ વિશ્વના ધરોહર સ્થળેથી ઈંટો ચોરીને લઈ જઈ રહ્યા છે. આટલું જ નહીં, આ ઈંટોને વેચવામાં પણ આવી રહી છે.

No comments:

Post a Comment