Monday, 29 June 2015

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ધોની-કોહલીને આરામ, રહાણે બન્યો કપ્તાન

- ચાર વર્ષ બાદ હરભજન સિંહની વનડે ટીમમાં વાપસી

- 6 જુલાઈએ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રવાના થશે


ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે આ પ્રવાસ દરમ્યાન ઘણા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જેમાં કપ્તાન ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, ઉમેશ યાદવ અને અશ્વિન સામેલ છે, બીજી તરફ ચાર વર્ષ બાદ હરભજન સિંહની વનડે ટીમમાં વાપસી થઈ છે.
અજિંક્ય રહાણે આ પ્રવાસ દરમ્યાન ટીમનો કપ્તાન રહેશે, ટીમમાં જે ખેલાડીઓની પસંદગી થઈ છે તે છે -  વિજાય રાયડૂ, મનોજ, કેદાર, રોબિન ઉછપ્પા, મનીષ, અક્સર પટેલ, બિન્ની, મોહીત, સંદીપ, કરણ અને ભુવનેશ્વર. 10 જુલાઈથી શરુ થઈ રહેલા પ્રવાસ પર 3 વનડે અને 2 ટી-20 મેચ રમવામાં આવશે.
6 જુલાઈએ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રવાના થશે. આ પ્રવાસ સાથે જ સંદીપ શર્માને ટીમમાં પહેલીવાર સામેલ કરવામાં આવ્યો છે. તેને ઘરેલુ રમતમાં શાનદાર પ્રદર્શનનાં કારણે ટીમમાં જગ્યા મળી છે.

No comments:

Post a Comment