Saturday, 27 June 2015

ભારત સામેની બીજી ટેસ્ટ બાદ સંગાકારા નિવૃત્તિ લેશે

આગામી ઓગસ્ટમાં ભારત શ્રીલંકાના પ્રવાસે

સંગાકારા વન ડેમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે


શ્રીલંકાના ક્રિકેટ ઇતિહાસના મહાન બેટસમેન અને થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાની જાણીતી વેબસાઇટ દ્વારા ૨૧મી સદીના મહાન ટેસ્ટ ક્રિકેટરોમાં તેંડુલકર પછીના બીજા ક્રમે રહેનાર કુમાર સંગાકારાએ આજે જાહેરાત કરી હતી કે ઓગસ્ટમાં રમાનાર પ્રવાસી ભારત સામેની બીજી ટેસ્ટ તેની કારકિર્દીની આખરી ટેસ્ટ હશે અને તે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.
સંગાકારા વનડેમાંથી તો નિવૃત્તિ લઇ જ ચૂકયો છે. તેને તેંડુલકરની જેમ ઘર આંગણે નિવૃત્ત થવાની તક તેમના ક્રિકેટ બોર્ડે આપી છે. જો કે શ્રીલંકા જ નહીં વિશ્વની કોઇપણ ટીમમાં સંગાકારા આજે પણ સ્થાન મેળવી શકે તેવી ફિટનેસ અને ફોર્મ સાથે તે રમે છે.
સંગાકારા ૧૩૧ ટેસ્ટમાં ૧૨૨૭૨ રન ૫૮.૪૨ની એવરેજથી બનાવી ચૂકયો છે. તેણે ૩૮ ટેસ્ટ સદી ફટકારી છે. હાલ તે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ રમી રહ્યો છે પણ ત્રીજી અને આખરી ટેસ્ટમાં નથી રમવાનો.

No comments:

Post a Comment