Sunday, 28 June 2015

ડુંગળી મોંઘીદાટ બનીઃ છૂટક બજારમાં કિલોએ ૩૫ રૃપિયા ભાવ પહોંચ્યો

મે માસમાં ઓછુ ઉત્પાદન અને હલકી ગુણવત્તાના કારણે તંગી સર્જાઇ

ભાવ ઘટાડા માટે ઓક્ટોબરમાં નવો પાક બજારમાં ઠલવાય ત્યાં સુધી રાહ જોવી પડશે


અમદાવાદ શહેરમાં હાલ છૂટક બજારમાં ડુંગળી ૩૦થી ૩૫ રૃપિયે કિલો વેચાઇ રહી છે. મે માસમાં સંગહિત ડુંગળી સમગ્ર ચોમાસા દરમિયાન પુરી પડાતી હોય છે. આ વર્ષે ડુંગળીનો પાક ઉભો હતો ત્યારે વરસાદ પડતા મોટાભાગનો માલ બગડી ગયો હતો તેમજ તેની ગુણવત્તા કથળી જતા તે લાંબો સમય સુધી સંગ્રહી શકાય તેમ ન હોવાથી તે માલ કઢાઇ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ ઓગષ્ટ માસમાં ડુંગળીની ભારે તંગી સર્જાઇ શકે તેમ છે. નવો પાક છેક ત્રણ માસ બાદ એટલે કે ઓક્ટોબરમાં આવે પછી જ ગરીબોની કસ્તૂરી સસ્તી થાય અને લોકોની થાળીમાં જોવા મળે તેમ હોવાનું જાણકારોનું માનવું છે.
અમદાવાદ શહેરમાં રીટેલ માર્કેટમાં ડુંગળીના ભાવો સાંભળીને જ લોકો ચોંકી રહ્યા છે. જૂન માસમાં ૩૫ રૃપિયે કિલોનો ભાવ બોલાઇ રહ્યો છે તો આવનારા મહિનાઓમાં કેટલો ભાવ હશે ?. તે વિચારીને જ લોકો અત્યારથી જ ડુંગળી ખાવાનું લગભગ ટાળી રહ્યા છે. દર વર્ષે ડુંગળી શા માટે જુલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં મોંઘીદાટ થઇ જતી હોય છે. તે પ્રશ્ન લોકો માટે અત્યારથી જ માથાના દુખાવા સમાન બની ગયો છે.
ચોમાસાના અંતે નવરાત્રીમાં ઓક્ટોબરમાં મહારાષ્ટ્રના પૂના, ધુલીયા, અહમદનગર અને કોલ્હાપુર વિસ્તારમાંથી ડુંગળીનો નવો પાક આવશે. જે સમગ્ર દેશમાં પહોંચે છે. ત્યારબાદ નવેમ્બર માસમાં રાજસ્થાનના ખેરથલ અને અલ્વરનો પાક બજારમાં આવશે. ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા, ભાવનગર, તળાજા અને મહારાષ્ટ્રના લાસલગાંવ, પીપલગાંવ તેમજ મધ્યપ્રદેશનો અમુક વિસ્તારમાંથી આવતો પાક છેક એપ્રિલ સુધી સમગ્ર દેશની ડુંગળીની જરૃરીયાતને સંતોષે છે. ડુંગળીના આ કુદરતી ચક્ર અંગે જાણકારોના જણાવ્યા મુજબ નવેમ્બરથી એપ્રિલ સુધીના સમયગાળામાં પાકતી ડુંગળીનું આયુષ્ય કુદરતી રીતે જ વધુમાં વધુ ૨૦ દિવસનું હોય છે. જેના કારણે આ ડુંગળી બજારમાં વેચી જ દેવી પડતી હોય છે.

No comments:

Post a Comment