મે માસમાં ઓછુ ઉત્પાદન અને હલકી ગુણવત્તાના કારણે તંગી સર્જાઇ
ભાવ ઘટાડા માટે ઓક્ટોબરમાં નવો પાક બજારમાં ઠલવાય ત્યાં સુધી રાહ જોવી પડશે
અમદાવાદ શહેરમાં રીટેલ માર્કેટમાં ડુંગળીના ભાવો સાંભળીને જ લોકો ચોંકી રહ્યા છે. જૂન માસમાં ૩૫ રૃપિયે કિલોનો ભાવ બોલાઇ રહ્યો છે તો આવનારા મહિનાઓમાં કેટલો ભાવ હશે ?. તે વિચારીને જ લોકો અત્યારથી જ ડુંગળી ખાવાનું લગભગ ટાળી રહ્યા છે. દર વર્ષે ડુંગળી શા માટે જુલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં મોંઘીદાટ થઇ જતી હોય છે. તે પ્રશ્ન લોકો માટે અત્યારથી જ માથાના દુખાવા સમાન બની ગયો છે.
ચોમાસાના અંતે નવરાત્રીમાં ઓક્ટોબરમાં મહારાષ્ટ્રના પૂના, ધુલીયા, અહમદનગર અને કોલ્હાપુર વિસ્તારમાંથી ડુંગળીનો નવો પાક આવશે. જે સમગ્ર દેશમાં પહોંચે છે. ત્યારબાદ નવેમ્બર માસમાં રાજસ્થાનના ખેરથલ અને અલ્વરનો પાક બજારમાં આવશે. ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા, ભાવનગર, તળાજા અને મહારાષ્ટ્રના લાસલગાંવ, પીપલગાંવ તેમજ મધ્યપ્રદેશનો અમુક વિસ્તારમાંથી આવતો પાક છેક એપ્રિલ સુધી સમગ્ર દેશની ડુંગળીની જરૃરીયાતને સંતોષે છે. ડુંગળીના આ કુદરતી ચક્ર અંગે જાણકારોના જણાવ્યા મુજબ નવેમ્બરથી એપ્રિલ સુધીના સમયગાળામાં પાકતી ડુંગળીનું આયુષ્ય કુદરતી રીતે જ વધુમાં વધુ ૨૦ દિવસનું હોય છે. જેના કારણે આ ડુંગળી બજારમાં વેચી જ દેવી પડતી હોય છે.
No comments:
Post a Comment