Wednesday, 12 August 2015

સંગાકારાને કારકિર્દી દરમ્યાન શ્રીલંકા વર્લ્ડકપ ના જીતી શક્યું તેનો વસવસો

સંગાકારા વિદેશમાં વધુ સફળતા ઇચ્છતો હતો

ગયા વર્ષે ઇંગ્લેન્ડને તેઓની ભૂમિ પર હરાવ્યું તે યાદગાર પળ


શ્રીલંકાનો સ્ટાર બેટ્સમેન સંગાકારા પ્રવાસી ભારત સામેની બે ટેસ્ટ રમ્યા પછી ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લેવાનો છે. સંગાકારાએ કહ્યું કે તેની લગભગ દોઢ દાયકાની કારકિર્દી તેને ખૂબ જ સંતોષ છે પણ તે તેની કારકિર્દી દરમ્યાન તે શ્રીલંકાને વન-ડેની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ બનતા જ જોઈ શક્યો તેનો તેને રંજ છે.
સંગાકારાએ યાદ કર્યું હતું કે બે વખત શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક હતી પણ તેઓ તેમ નહતા કરી શક્યા. શ્રીલંકા એક જ વખત ૧૯૯૬માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું ત્યારે સંગાકારા શ્રીલંકાની ટીમમાં નહતો.
સંગાકારાને ભારત અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઝડપી નથી જીતી શક્યા તેનો રંજ છે. તે માને છે કે શ્રીલંકાએ વિદેશની ભૂમિ પર વધુને વધુ જીતવું જોઈએ.
ઇંગ્લેન્ડને તેની ગયા વર્ષે સૌપ્રથમ વખત ૧-૦થી ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું તેને તેની કારકિર્દીની શ્રેષ્ઠ પળ માને છે.
૨૦૦૬ના ઇંગ્લેન્ડના પ્રવાસમાં શ્રીલંકાએ ૧-૧થી ટેસ્ટ શ્રેણી ડ્રો કરીને વન-ડે શ્રેણી ૫-૦થી જીતી હતી તે પણ ગૌરવપ્રદ પળ ગણે છે.
સંગાકારાએ જણાવ્યું કે તે તો ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપ બાદ તરત જ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સાથે સાથે જ નિવૃત્તિ જાહેર કરવાનો હતો પણ શ્રીલંકન બોર્ડે તેને કારકિર્દિ લંબાવવા વિનંતી કરી હતી. સંગાકારાએ ટેસ્ટ અને વન-ડેમાં ૨૮૦૦૦થી વધુ રન અને કુલ ૬૩ સદી ફટકારી છે.

No comments:

Post a Comment