Saturday, 30 January 2016

બધું કર્મફળના સિદ્ધાંતથી જ બને છે

પૂર્વ જન્મોના કર્મફળ અનુસાર એ જ નિશ્ચિત કરાયેલું છે કે અમુક આત્માએ કયા દેશમાં, કયા કુટુંબમાં, કયા સ્તરનું , કેટલું જીવન જીવવાનું છે. એક જ દિવસે, એક જ સમયે જન્મ લેનારા બે બાળકોમાં એક કોઈ અમીરને ત્યાં જન્મે છે અને બીજો ગંદી ઝૂંપડીમાં. એક જન્મથી જ બુદ્ધિશાળી હોય છે તો બીજો મંદબુદ્ધિનો એક તંદુરસ્ત હોય છે અને બીજો હંમેશા રોગી હોય છે. એક દીર્ઘાયુ હોય છે અને બીજો અલ્પાયુ આ બધું કર્મફળના સિદ્ધાંતથી જ બને છે આપણે જીવનમાં જે પણ સારી-ખરાબ પરિસ્થિતિઓ આવે છે તે આપણા કર્મોનું ફળ છે. આ જન્મમાં જે જેવું કર્મ કરે છે. તેના પ્રમાણે આત્માના નવાજન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે. પૂર્વ જન્મોના કર્મ પ્રમાણે જ આપણે આ જન્મમાં જુદી જુદી પરિસ્થિતિગત એનો સામનો કરવો પડે છે. કોઈ મનુષ્ય સારાં, સમૃદ્ધ, સંસ્કારી પરિવારમાં જન્મ લે છે તો કોઈ નિર્ધન કે દુરાચારી પરિવારમાં જન્મ લે છે. કોઈએ અનેક જાતની સુખ-સુવિધાઓ આસાનીથી મળી રહે છે તો કાયમ કોઈ અભાવ તથા દુઃખમાં જ રહે છે. પરમેશ્વર ક્યારેય કોઈના કર્મને નિષ્ફળ કરતા નથી અને કોઈ નિરપરાધીને દંડ દેતા નથી.
હજુ પણ જો આપણે ખરાબ કર્મો કરતા રહીશું તો આગળના જન્મામાં આપણે જીવજંતુઓની ન જાણે કેટકેટલી યોનિઓમાં રહીને કષ્ટ ભોગવવું પડશે અને પછી જો માનવ શરીર મળ્યું તો શક્ય છે કે તે વખતે વધારે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે અને જો સારા કર્મો કરીશું તો આગળના જીવનમાં વધારે સુખદ પરિસ્થિતિઓ પ્રાપ્ત થશે.
સુખ- દુઃખ એ કર્મના ફળ છે. કર્મના આધારે આ સૃષ્ટિ છે. કર્મયોગનું તાત્પર્ય છે કે બીજાઓને સુખ આપવું અને બદલામાં કંઈ પણ ન ચાહવું.

No comments:

Post a Comment